Saturday, December 1, 2012

લાલા લજપતરાય-મહાન ક્રાંતિકારી



આપણો દેશ અંગ્રેજોના સકંજામાં સપડાયો હતો ત્યારે ક્રાંતિકારી વિચારોની જ્યોત જલાવનારા લાલા લજપતરાય તે સમયે ક્રાંતિકારી યુવાનો માટે પ્રેરકબળ હતા. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ પર લાલા લજપતરાયનો ઊંડો પ્રભાવ હતો. આજે તેમનો ૮૪મો નિર્વાણદિન છે ત્યારે તેમના વિશે થોડું વધુ જાણીએ.
તેમનો જન્મ ૨૮ જાન્યુઆરી૧૮૬૫ના રોજ પંજાબના ધુડીકે (હાલમાં મોગા જિલ્લા તરીકે જાણીતું)માં થયો હતો. તેમના પિતાનું નામ મુન્શી રાધાકિશન આઝાદ અને માતાનું નામ ગુલાબદેવી હતું.
* લાલાજીએ ૧૮૮૦માં કાયદાનો અભ્યાસ કરવા લાહોરની સરકારી કોલેજમાં પ્રવેશ લીધો હતોજ્યાં તેમની મુલાકાત દેશભક્ત અને ફ્રીડમ ફાઇટર લાલ હંસરાજ અને પંડિત ગુરુદત્ત સાથે થઈ,ત્યારથી તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા. તેઓ હિસાર પાલિકાની ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને સેક્રેટરી પણ બન્યા હતા.
* ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્રણ મુખ્ય અને અગ્રણી ગણાતા સભ્યોમાં લાલાજી હતા. તેમણે બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે મળીને ભારતની આઝાદી માટે લડત ચલાવી હતી. આ ત્રિપુટી પછીથી ભારતભરમાં લાલ, બાલ અને પાલનાં નામે જાણીતી બની હતી.
* બંગાળ વિભાજન વખતે લાલાજીએ સુરેન્દ્ર નાથ અને મર્હિષ અરવિંદ સાથે મળીને સખત સંઘર્ષ કર્યો હતો. બંગાળને ધબકતું કરીને તેમણે જોશ ઊભું કરી દે તેવું સ્વદેશી અભિયાન શરૃ કર્યું. ૧૯૦૭માં અરાજકતા ઊભી કરવા બદલ રાવલપિંડીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
* ૧૯૨૦માં તેઓ અમેરિકાથી ભારત પરત ફર્યા અને જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડની સામે નોન-કોઓપરેશન મૂવમેન્ટ શરૃ કરી. તેમની અનેક વખત ધરપકડ કરવામાં આવી હતી.
* ૧૯૨૮માં બ્રિટિશ સરકારે સાયમન કમિશનને મંજૂર કરવાનું નક્કી કર્યું ત્યારે તેના વિરોધમાં લાલાજીએ મહારેલી કાઢી હતી. આ સમય દરમિયાન તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા શરીર પર પડેલો લાઠીનો એક એક ઘા બ્રિટિશ સરકારના કોફિન પર એક એક ખીલો જડવાનું કામ કરશે. આ લાઠીચાર્જમાં જ ૧૭ નવેમ્બર૧૯૨૮ના રોજ દેશભક્ત લાલાજીનુંં નિધન થયું હતું.
* તેમના અવસાનના સમાચારથી તે સમયે આખા ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. લાલા લજપતરાયજીના નિધન પછી જ ચંદ્રશેખર આઝાદભગતસિંહ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામેની લડત વધુ ઉગ્ર બનાવી હતી

No comments:

Post a Comment