Tuesday, December 25, 2012

શિયાળામાં દિવસ ટૂંકો કેમ હોય છે?


દિવસની લંબાઈ પર સૂર્યનો પ્રકાશ અસર કરે છે. ઉનાળાની સરખામણીમાં શિયાળામાં ઓછો સમય સૂર્યપ્રકાશ રહે છે એટલે દિવસ ટૂંકો થઈ જાય છે. આપણે રોજ કેટલા વાગ્યે સવાર પડી અને ક્યારે સાંજ પડી તેની બહુ ચોક્કસ નોંધ રાખતા નથી હોતાપરંતુ ખરેખર તો આખા વર્ષ દરમિયાન પ્રકાશની વધઘટ ચાલ્યા કરતી હોય છે. આપણી પૃથ્વી ગોળ છે અને ઢળેલી છે એટલે સૂરજના પ્રકાશની વઘધટ ચાલ્યા કરે છે.
તમે જો ધ્યાનથી જોશો કે રોજેરોજ અખબારોમાં છપાતા સૂર્યોદયના સમય તરફ ધ્યાન આપશો તો તરત જ તમને આ વાત સમજાશે. ઢળેલી પૃથ્વી સૂરજની ફરતે ઘૂમે છે. તે વધુ ઢળેલી હોય ત્યારે તેને સૂરજનો પ્રકાશ વધુ મળે એટલે દિવસ લાંબો લાગે છે અને જ્યારે પ્રકાશ ઓછો મળે છે ત્યારે દિવસ ટૂંકો થઈ જાય છે. પ્રકાશનો આ નિયમ દરેક સૂરજની ફરતે ઘૂમતા દરેક ગ્રહને લાગુ પડે છે. ચાંદાનો એક દિવસ આપણા પૃથ્વી પરના ૨૮.૫ દિવસ જેટલો લાંબો એટલા માટે જ છે! 

છોગાળા હવે તો છોડો ...

એક હતો હાથી, ધમધમ એનું નામ. એક હતો સસલો. સની એનું નામ.
એક વાર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. સસલાને મનમાં થયું કે હાથીને મજા ચખાડી દઉં.
હાથી રોજ સસલાના ઘર પાસે થઈને નદીએ પાણી પીવા જાય. સસલાએ રસ્તા વચ્ચે ગાળિયો નાખી હાથીનો પગ બાંધવાનો વિચાર કર્યો. સસલીનેય વાત કરી. જંગલમાં દોરડું ક્યાંથી મળે? એટલે વેલા તોડી લાવી, વણીને દોરડું બનાવ્યું. એનો ગાળિયો બનાવ્યો ને પછી એનો એક છેડો બાવળના થડે બાંધ્યોપણ સસલાને વિશ્વાસ ન બેઠો એટલે ત્યાંથી છોડી થોરના થડે બાંધ્યો. તોય એનું મન ન માન્યું. છેવટે પોતાના પગે બાંધ્યો.
થોડી વારે હાથી આવ્યો. એનો પગ ગાળિયામાં પડયો ને ગાળિયો તેના પગે ફિટ આવી ગયો. એ જોઈ સસલો-સસલી રાજી થયાં. પણ આ શુંસસલાભાઈ પાછળ તણાવા લાગ્યા. આ જોઈ સસલી ગભરાઈને કહે, "છોગાળા છોડી દો, જવા દો બિચ્ચારાને...!"
સસલો માંડ માંડ બોલ્યો, "છોગાળા તો છોડે છે, પણ સૂંઢાળા ક્યાં છોડે છે?" ને સસલો તણાવા લાગ્યો. હાથીએ પાછળ નજર કરી. તેણે સનીને પાછળ ઘસડાતો જોયો. તેનેય મજા પડી. ભલે તણાતો. ફરીથી મારું નામ લેવાની ખો ભૂલી જશે.
આગળ મસ્તીમાં ચાલતો હાથી ને પાછળ અધમૂઆ જેવો ગબડતો સસલો! તેની પાછળ બૂમો પાડતાં જતાં સસલીબાઈ. કોઈ મારા સસલાને છોડાવો.
આગળ જતાં કૂતરો મળ્યો, "કુત્તાભૈ, મદદ કરો. તમારા ભાઈને છોડાવો." કૂતરો કહે, "એ કામ મારું નહીં." ને કૂતરો તો ચાલતો થયો.
આગળ જતાં શિયાળ મળ્યું. સસલી કહે, "શિયાળ, મારા ભઈલા, તારા બનેવીને મદદ કર."
શિયાળ કહે, "ઊંહું... બેની લડાઈમાં હું કદી વચ્ચે માથું મારતો જ નથી ને..!" ને હીહી હસતું હસતું શિયાળ જતું રહ્યું.
આગળ જતાં નોળિયો મળ્યો. રડતાં રડતાં સસલી કહે, "નોળિયાભૈ, તમારા ભૈબંધને ઉગારો તો..."
નોળિયાએ સસલાને ને હાથીને જતાં જોયાં. તે કહે, "ભાભી, ચિંતા ના કરો. આ દાંત ભગવાને શીદ આપ્યા છે?"
ને ઝડપથી નોળિયો હાથીને સસલા વચ્ચે પહોંચી ગયો. કટ...કટ...કટ...ને વેલો કપાઈ ગયો. સસલાભાઈ છૂટા થયા. એમના જીવમાં જીવ આવ્યો.
નોળિયાએ પૂછયું, "આવું કેમ કરતાં થયું?"
સસલીએ માંડીને બધી વાત કરી. પછી કહે, "હાથીને એક વાર મજા તો ચખાડવી પડશે હોં નોળિયાભૈ. એ મોટો એટલે શું થઈ ગયું? અમારા જેવા નબળા ને નાના જીવની આવી મજાક કરવાની?"
નોળિયો કહે, "ભાભી, ચિંતા ના કરો. હું કાંક ઉપાય વિચારું છું."
તે દિવસે તો સૌ છૂટા પડયાં. થોડા દિવસ સસલાને આરામ કરવો પડયો. હવે તે સાજો થઈ ગયો હતો. તે નોળિયાના ઘરે ગયો. કહે, "નોળિયાભાઈ, ઉપાય જડયો?"
નોળિયો ને સસલો બહાર નીકળ્યા. પહેલા તેઓ મગર પાસે ગયા. નોળિયો કહે, "મગરભૈ, એક કામ ના કરો? હાથી પાણી પીવા આવે ત્યારે તમે એનો પગ ના ખેંચો?"
મગર ઠાવકાઈથી કહે, "ના ભૈ, મારે શીદ હાથી જોડે વેર બાંધવું?"
બંને ભાઈબંધ આગળ ગયા. એક ઝાડ પર અજગર આરામથી વીંટળાઈને પડયો હતો. નોળિયો બોલ્યો, "અજગરભૈ, હાથીને મજા ચખાડોને? એ આ સસલાને હેરાન કરે છે."
અજગર કહે, "તમારા ઝઘડામાં હું શીદ વચ્ચે પડું? ના, ભૈ, ના."
બંને જણ આગળ વધ્યા. આગળ એક ખાબોચિયું આવ્યું. તેમાં ઊગેલાં છોડનાં પાન પર એક મચ્છરભાઈ બેઠા હતા. નોળિયાએ મચ્છરને બધી વાત કરી ને પછી કહે, "મચ્છરભૈ, તમારા જેવા નાના જીવોને એ હાથીડો હેરાન કરે એ કંઈ ચાલે?"
મચ્છર ગુન ગુન કરી કહે, "ના ચાલે...ગુનગુન..."
નોળિયો કહે, "તો તમે હાથીને મજ્જા ચખાડશો?"
મચ્છરે હા પાડી. સસલાને થયું કે ક્યાં પહાડ જેવડો હાથી ને ક્યાં નખ જેવડો મચ્છર! જે હાથીને હું કશું ના કરી શક્યો એને મચ્છર શું મજા ચખાડશે?
ત્રણ જણ નીકળ્યા હાથીની શોધમાં. હાથી વડના છાંયડે ઊભો હતો. મચ્છર કહે, "તમે અહીં જ ઊભા રહો. હું એકલો જાઉં છું."
ને મચ્છર ગુન ગુન કરતો ઊડયો. તે સીધો હાથીના કાનમાં ઘૂસી ગયો ને ચટકા ભરવા લાગ્યો. હાથી ચીસો પાડી કહેવા લાગ્યો, "અલ્યા મચ્છર, બહાર નીકળ તને જે જોઇતું હોય તે આપું..." પણ મચ્છર માનેતે વધારે ચટકા ભરવા લાગ્યો. હાથી અકળાઈ ગયો. આ જોઈ સસલો રાજી થયો.
નોળિયો આગળ આવી કહે, "હાથીભૈ, જ્યાં સુધી તમે સસલાની માફી નહીં માંગો ત્યાં સુધી મચ્છર હેરાન કરશે."
હાથી સમય પારખી ગયો. તેણે સની સસલાની માફી માગી. "સોરીસનીભાઈ, હવે હું તમને કદી હેરાન નહીં કરું."
નોળિયાએ બૂમ પાડી કહ્યું, "મચ્છરભાઈ, બહાર આવો. કામ પતી ગયું."
ને મચ્છરભાઈ આવી ગયા બહાર.
પછી હાથીએ સૂંઢ લંબાવી સની સાથે શેકહેન્ડ કર્યા. 
 

પોપટ ભણ્યો નવો પાઠ

એ ક હતો પોપટ. તે દેખાવે હતો રૂડોરૂપાળો. સૌ કોઈ એના રૂપનાં વખાણ કરતા એટલે તેને અભિમાન આવી ગયું કે મારા જેવું કોઈ નહીં. એને પછી એમ થયું કે મિત્રતા પણ જેવા-તેવા સાથે ન કરાય. એણે વિચાર્યું: મારા જેવું રૂપાળું હોયજેનો અવાજ મારા જેવો મીઠો હોયજે સુંદર ભોજન જમતો હોય એની જોડે મિત્રતા કરાય. બાકી બધા તો!
ને તે પછી એનો સ્વભાવ બદલાઈ ગયો.
વગડામાં એ વૃક્ષની ડાળ પર બેસે. એ ઝાડ પર નજીક આવી જે કોઈ બેસે તેની નિંદા કરે. ચકલીને એ કહે, "તું કેવું ચીં...ચીં...ચીં કરે છે! તારું માથું નથી દુખતું?"
ચકલી કહે, "ના રે. એ તો હું ગાઉં છું."
"ગીત કંઈ આવું હોય? મારી જેમ જરા ગાતાં શીખ."
કાગડાને કહે, "અલ્યા, તારો રંગ આવો કેમકોલસા જેવો સાવ કાળો મેંશ!" કાગડો કંઈ જવાબ આપે એટલે પાછો કહે, "બસ, બસ હવે જેવો તારો રંગ એવો તારો કંઠ..કા..કા..કા. ને તું ખાવાનું કેવું એંઠું જૂઠું ખાય છે..? છિ છિ, તારી ચાંચ ગંધાય છે?"
કબૂતરને કહે, "આ તું ઘૂ ઘૂ ઘૂ શું કર્યા કરે છે? ને આ તારી નાની ચાંચ ને નાની આંખ...! કેવી ભદ્દી લાગે છે!"
તો વળી કાબરને કહે, "તું કલબલ કાં કરે? જરા શાંતિથી બેસ. કંઈક વિચારીને ગા, તો સારી લાગે...!"
આમ પોપટ બધાં પંખીઓની ખામી કાઢયા કરે. તે પાછો સૌને મોઢા પર કહી દે એવો નફફટ. કોઈને પોપટની આ કુટેવ ના ગમે. બધાએ એના સામે બોલવાનું ઓછુ કરી નાખ્યું. સૌએ તેની કિટ્ટા કરી નાખી ને ઉપરથી નામ પાડી દીધું કચકચિયો પોપટ.
પછી તો જે ડાળ પર પોપટ બેઠો હોય તે ડાળ પર તો શુંતે ઝાડ પર એકેય પંખી ન બેસે. આ જોઈ પોપટને એમ થાય કે બધાં મારાથી કેવાં ડરે છે! પણ પછી એક કાબરે સાચી વાત કહી દીધી ત્યારે પોપટને દુઃખ તો થયુંપણ એ તો તોય અક્કડ જ રહ્યો. ભલે ને, કોઈ ના બોલે... મારે કેટલા ટકા? હું તો એકલો બસ છું. જંગલમાં સિંહ પણ એકલો જ ઘૂમતો હોય છે ને! એટલે તો એ વનનો રાજા છે ને!
એક દિવસ એવું બન્યું કે પોપટ એક ઝાડ પર બેઠો હતો. ત્યાં તેની સામેની ડાળ પર એક કાગડો આવીને બેઠો. આ જોઈ પોપટને નવાઈ લાગી. આ કાગડો દૂર...દૂરથી આવેલો એટલે તે પોપટની વાતથી અજાણ હતો.
કાગડો કહે, "નમસ્તે પોપટ ભૈ, કેમ મજામાં ને?"
પોપટ મોં મચકોડી આડું જોઈને કહે, "હું તમારા જેવા કાળિયા ને કર્કશ અવાજવાળા સાથે વાત જ નથી કરતો." આ સાંભળી કાગડાને નવાઈ લાગી. તે કહે, "ભલે, તો હું સામેના ઝાડ પર જાઉં છું." આમ કહી કાગડો ત્યાં જઈને બેઠો. ત્યાં એક કબૂતર બેઠેલું હતું. તેણે કાગડાને પોપટની બધી વાત કહી.
એટલામાં એક શિકારી આવ્યો. પોપટને ઝાડ પર બેફિકરાઈથી બેઠેલો જોયો. તેને પોપટનો શિકાર કરવાનું મન થયું. તેણે તત્કાળ ધનુષ પર તીર ચઢાવ્યું. તીર છૂટયું ને તે જ સમયે પોપટનું ધ્યાન ગયું. તે ઊડયો છતાં પૂંછડી પર તીર વાગ્યું ને પોપટ ગડથોલિયું ખાઈ નીચેના ઝાંખરા પર પડયો.
કબૂતરે અને કાગડાએ દૂરથી આ જોયું. કાગડાને પોપટ પર દયા આવી ગઈ. શિકારી પોપટને શોધવા તે ઝાંખરા નજીક પહોંચે તે પહેલાં કાગડો ઊડીને પોપટ નજીક પહોંચી ગયો. પોપટ ઝાંખરા પર દુઃખથી રડતો હતો.
કાગડો કહે, "પોપટ ભૈ, ગભરાશો નહીં. તમે મારો પગ ચાંચથી પકડી લો. હું તમારી ડોક મારી ચાંચમાં પકડી ઊડું છું."
પોપટને થયું કે કાગડાનું ગંદું મોં...ને મારી સુંદર ડોક..! પણ બિચ્ચારો પોપટકરે શું! નાછૂટકે કાગડાએ કહ્યું એમ કરવા લાગ્યો ને શિકારી આવે તે પહેલાં કાગડો પોપટને લઈને ઊડી ગયો. શિકારી આ જોતો જ રહી ગયો.
કાગડો પોપટને એક દૂરના મોટા ઝાડ પર લઈ ગયો. તેની પહોળી ડાળ પર પોપટને સુવડાવ્યો. એ ઝાડ પર ઘણાં પંખીઓ હતાં. સૌ આ કચકચિયા પોપટને ઓળખતાં હતાં. તેની આવી ભૂંડી દશા જોઈ સૌ રાજી થયાં. કાગડાએ પોપટને મદદ કરવા કહ્યુંપણ સૌએ ના પાડી. આ જોઈ કાગડો કહે, "પંખીઓ, સંકટના સમયે આપણા એક બાંધવને મદદ કરવી એ આપણી ફરજ છે."
"પણ આવા અભિમાનીને મદદ ના કરાય." સૌ કહેવા લાગ્યાં.
પોપટે રડતાં રડતાં સૌની માફી માગી.
ને પછી તો સૌ પંખી એને મદદ કરવા તલપાપડ થઈ ગયાં. કોઈ ચાંચમાં પાણી લઈ આવ્યું. કોઈએ તેનો ઘા સાફ કર્યો. હોલો ક્યાંકથી ચીંથરું લઈ આવ્યો. સુગરીએ તેને પાટો બાંધી દીધો. પોપટને રાહત થઈ.
કચકચિયા પોપટને આજે એક નવો બોધપાઠ શીખવા મળ્યો હતો. 
 

Saturday, December 1, 2012

લાલા લજપતરાય-મહાન ક્રાંતિકારી



આપણો દેશ અંગ્રેજોના સકંજામાં સપડાયો હતો ત્યારે ક્રાંતિકારી વિચારોની જ્યોત જલાવનારા લાલા લજપતરાય તે સમયે ક્રાંતિકારી યુવાનો માટે પ્રેરકબળ હતા. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ પર લાલા લજપતરાયનો ઊંડો પ્રભાવ હતો. આજે તેમનો ૮૪મો નિર્વાણદિન છે ત્યારે તેમના વિશે થોડું વધુ જાણીએ.
તેમનો જન્મ ૨૮ જાન્યુઆરી૧૮૬૫ના રોજ પંજાબના ધુડીકે (હાલમાં મોગા જિલ્લા તરીકે જાણીતું)માં થયો હતો. તેમના પિતાનું નામ મુન્શી રાધાકિશન આઝાદ અને માતાનું નામ ગુલાબદેવી હતું.
* લાલાજીએ ૧૮૮૦માં કાયદાનો અભ્યાસ કરવા લાહોરની સરકારી કોલેજમાં પ્રવેશ લીધો હતોજ્યાં તેમની મુલાકાત દેશભક્ત અને ફ્રીડમ ફાઇટર લાલ હંસરાજ અને પંડિત ગુરુદત્ત સાથે થઈ,ત્યારથી તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા. તેઓ હિસાર પાલિકાની ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને સેક્રેટરી પણ બન્યા હતા.
* ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્રણ મુખ્ય અને અગ્રણી ગણાતા સભ્યોમાં લાલાજી હતા. તેમણે બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે મળીને ભારતની આઝાદી માટે લડત ચલાવી હતી. આ ત્રિપુટી પછીથી ભારતભરમાં લાલ, બાલ અને પાલનાં નામે જાણીતી બની હતી.
* બંગાળ વિભાજન વખતે લાલાજીએ સુરેન્દ્ર નાથ અને મર્હિષ અરવિંદ સાથે મળીને સખત સંઘર્ષ કર્યો હતો. બંગાળને ધબકતું કરીને તેમણે જોશ ઊભું કરી દે તેવું સ્વદેશી અભિયાન શરૃ કર્યું. ૧૯૦૭માં અરાજકતા ઊભી કરવા બદલ રાવલપિંડીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
* ૧૯૨૦માં તેઓ અમેરિકાથી ભારત પરત ફર્યા અને જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડની સામે નોન-કોઓપરેશન મૂવમેન્ટ શરૃ કરી. તેમની અનેક વખત ધરપકડ કરવામાં આવી હતી.
* ૧૯૨૮માં બ્રિટિશ સરકારે સાયમન કમિશનને મંજૂર કરવાનું નક્કી કર્યું ત્યારે તેના વિરોધમાં લાલાજીએ મહારેલી કાઢી હતી. આ સમય દરમિયાન તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા શરીર પર પડેલો લાઠીનો એક એક ઘા બ્રિટિશ સરકારના કોફિન પર એક એક ખીલો જડવાનું કામ કરશે. આ લાઠીચાર્જમાં જ ૧૭ નવેમ્બર૧૯૨૮ના રોજ દેશભક્ત લાલાજીનુંં નિધન થયું હતું.
* તેમના અવસાનના સમાચારથી તે સમયે આખા ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. લાલા લજપતરાયજીના નિધન પછી જ ચંદ્રશેખર આઝાદભગતસિંહ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામેની લડત વધુ ઉગ્ર બનાવી હતી

વાઘ અભ્યારણ-કોર્બેટ નેશનલ પાકૅ



જંગલની મજા માણવી હોયજાતજાતનાં પંખીઓનો સાચો કલરવ સાંભળવો હોય અને મુક્તમને વિહરતા ઘાતક વાઘ જોવા હોય તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક એકદમ રાઇટ ચોઇસ છે. ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ અને પૌરી જિલ્લાની હદમાં આવેલો આ દેશનો સૌથી મોટો અને જૂનો નેશનલ પાર્ક છે. શિકારીમાંથી જંગલ સંરક્ષક અને નેચર એક્સપર્ટ બનેલા બ્રિટિશ કર્નલ જીમ કોર્બેટના નામ પરથી આ પાર્કનું નામ 'જીમ કોર્બેેટ નેશનલ પાર્ક' રાખવામાં આવેલું છે. ૫૨૦ સ્ક્વેર કિલોમિટરના વિસ્તારમાં નદીતળાવ, જંગલ, પહાડ અને ઘાસનું મેદાન ફેલાયેલું છે. હિમાલયની ઘાટીના આ નેશનલ પાર્કને કોર્બેટ ટાઇગર રિઝર્વ અને સોનાનંદી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યૂઅરી સાથે જોડીએ તો તેનો ફેલાવો ૧૨૮૮ સ્ક્વેર કિલોમિટર થાય છે.
કોર્બેટ નેશનલ પાર્કમાં નેચરની મજા માણવા દેશ અને દુનિયાના અનેક પ્રવાસીઓ આવે છે. દેશમાં શરૂ થયેલા સેવ ટાઇગર ઝુંબેશને લીધે તાજેતરનાં વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દર વર્ષે લગભગ ૭૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. ૭૦ ટકા વિસ્તારમાં જંગલ પથરાયેલું છે અને બાકીનો ભાગ નદીપહાડીઓ તેમજ ઘાસનું મેદાન રોકે છે. અહીં ૪૮૮ પ્રકારના વિવિધ પ્લાન્ટ્સ જોવા મળે છે. એશિયાટિક એલિફ્ન્ટ અને ટાઇગર અહીંની ખાસિયત છે. ૫૦ પ્રકારનાં સસ્તનધારી પ્રાણીઓ, ૫૮૦ પ્રકારનાં પંખીઓની જાતો, ૧૧૦ પ્રકારનાં વૃક્ષો આ પાર્કની શોભા છે. પ્રશાસન તરફથી જંગલ સફારીની સગવડો પણ ઊભી કરવામાં આવી છે. ૨૦૧૧માં પોતાની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી કરનાર આ પાર્ક ઇકો ટૂરિઝમ માટે શ્રેષ્ઠ સ્થળ છે

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડો. રાજેન્દ્ર પ્રસાદ



૩જી ડિસેમ્બરે આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને આઝાદીની ચળવળના અગ્રિમ હરોળના નેતા ડો. રાજેન્દ્ર પ્રસાદની ૧૨૮મી જન્મજયંતી છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ બે વખત ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે બે વખત રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશનારા તેઓ એકમાત્ર વ્યક્તિ છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ પછી આજ સુધી કોઈ પણ રાષ્ટ્રપતિને બે વખત આવો મોકો નથી મળ્યો.
* રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જિરાદેઈ ગામમાં મહાદેવ સહાય અને કમલેશ્વરી દેવીને ત્યાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા અને રાજેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ તેમની વિદ્વત્તા ઊતરી હતી.
* તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન રાજવંશીદેવી સાથે થયાં હતાં. તેમણે તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે પ્રારંભિક શિક્ષણ પટણાની આર. કે. ઘોષ એકેડેમીમાં મેળવ્યું હતું.
* ગાંધીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ રાજેન્દ્ર પ્રસાદના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બીજા બધા કોંગ્રેસી સભ્યોએ સ્વીકારી લીધો હતો.
* ૧૯૪૨ના વર્ષમાં જ્યારે તેમને જેલ જવાનું થયું ત્યારે તેમણે એ ૩ વર્ષમાં 'ઇન્ડિયા ડિવાઇડેડ' પુસ્તક લખ્યું હતું, જેની પછીથી ખૂબ જ નોંધ લેવાઈ હતી.
* પ્રથમ વખતની લોકપ્રિયતા પછી તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ૧૨ વર્ષ૩ મહિના અને ૧૮ દિવસ વિતાવ્યા હતા. આટલો વખત રાષ્ટ્રપતિ ભવનમાં ગાળનારા તેઓ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.
* દેશના રાષ્ટ્રપતિને તે સમયે ૧૦ હજાર રૂપિયાનો પગાર મળતો હતોજેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા સ્વીકારતા હતા. દેશનો એક રૂપિયો પણ ખોટી રીતે ખર્ચ થવો ન જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા.
* આઝાદીની લડત વખતે અલગ અલગ સમયે તેઓ ૧૬ વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એ દરમિયાન તેઓ લેખન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. આજના નેતાઓથી તદ્દન ભિન્ન એવી સરળ ગાંધીવાદી જીવનશૈલી અપનાવનારા ડો. રાજેન્દ્ર પ્રસાદનું નિધન ૨૮ ફેબ્રુઆરી૧૯૬૩ના રોજ થયું હતું. 

Thursday, November 29, 2012

બાળગીત......

કેરી એકા કેરી.
કેરી દુ દાડમ.
કેરી તરી તરબૂચ.
કેરી ચોક ચીકું.
કેરી પંચા પપૈયું.
કેરી છક સ્ટ્રોબેરી.
કેરી સત્તા સીતાફળ.
કેરી અઠ્ઠા અનાનસ.
કેરી નવા નાસપાતી.
કેરી દાન કેળું.

માતા......

માતા એટલે.........
વાત્સલ્યની વીરડી, મમતાની મૂતિઁ, પ્રેરણાની પરબ, 
અવનિનું અમૃત, સૃષ્ટિની સંજીવની, પ્રેમની પ્રતિમા, 
સ્નેહની સરિતા, સંસ્કારની સિંચક, 
થાકેલાનો વિસામો, શાંતિનું તીથઁ.

રોમે રોમે હેત ભર્યુ, જેના વેણે વેણે વરદાન,
ઘેર ઘેર એ જ બિરાજે, મા રૂપે ભગવાન....

Friday, November 9, 2012

ઉંદરડી પર આફત

જૂના જમાનામાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા બોધિસત્વે સલાટોના કુળમાં જન્મ લીધો હતો. સલાટ એટલે શિલા કાપનાર અથવા પથ્થર કાપનાર. બોધિસત્વ મોટા થઈને શિલા કાપનાર જ નહિ, સારા મૂર્તિકાર પણ બન્યા. હવે, વારાણસીના એક કસ્બામાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો. એની હવેલીમાં દાટેલો ખજાનો જ ચાળીસ કરોડ સોનામહોરનો હતો. પણ એ પરિવાર પર એકાએક આફત ઊતરી. પરિવારનાં સૌ મરણ પામ્યાં. બીજાં બધાંનો તો દૂર દૂર જન્મ થયો, પણ શેઠાણીનો જીવ ખજાનામાં ચોંટી રહ્યો. એ પછી તો આ કસ્બો જ નાશ પામ્યો અને એની ઉપર ધૂળ ફરી વળી. પણ શેઠાણીનો જીવ અહીં ભટકતો રહ્યો. આખરે એ એક ઉંદરડી તરીકે જન્મી. એણે તો અહીં ઊંડાં દર કર્યાં. પોતાનો ચાળીસ કરોડોનો ખજાનો હતો ત્યાં દર કરીને રહેવા લાગી. ખજાનો સાચવવાની એને ભારે લગની હતી. આથી એ ખાવાનું શોધવા પણ દૂર જતી નહિ. આથી એ દૂબળી રહેતી. એટલામાં બોધિસત્વ એ ગામે આવ્યા. એટલે જોયું કે આ ગામ પાસે તો સરસ આરસ પથ્થરોની ખાણ છે. આથી એમણે આરસની શિલાઓ કોતરી કાઢવા માંડી. કોતરીને એક બાજુ મૂકે. એમાંથી મૂર્તિ કોરી કાઢે.
એવી વેળા ઉંદરડી ઘણી વાર ખાવાનું શોધવા આવે. જતાં-આવતાં એ બોધિસત્વને જુએ. એમની મહેનત જુએ. રાજી થાય કે અહો ! કેવો મહેનતુ જીવ છે. મારા શેઠ પણ આવા જ મહેનતુ હતા. એટલે જ કરોડોનો ખજાનો જમા કરેલો ને ! આમ, સારા વિચાર કરતાં ઉંદરડીને બોધિસત્વ માટે હેત થઈ આવ્યું. એ વિચારવા લાગી : ‘અરે મારો કરોડોનો ખજાનો બેકાર પડ્યો છે. હું એ વાપરી શકતી નથી, કારણ કે વાપરવા માટે દૂર જાઉં અને અહીં કોઈ ચોર ત્રાટકે તો ! પરંતુ આ મહેનતુ જીવને સાધું તો એનુંય કામ થાય અને મારું પણ કામ થાય.’ આવો વિચાર કરીને ઉંદરડીએ ખજાનામાંથી એક સિક્કો ઉઠાવ્યો. એ લઈ જઈને પથ્થર કાપી રહેલા બોધિસત્વના ચરણોમાં મૂક્યો. બોધિસત્વ નવાઈ પામી ગયા. એમણે પૂછ્યું :
‘ઉંદરમા ! આ શું ? આ સિક્કો કેમ લાવ્યાં ?’
ઉંદરડી કહ્યું : ‘આ સિક્કો લો અને બજારે જાવ. ખાવાનું લઈ આવો. થોડુંક મને આપો અને બાકીનું તમે ખાવ. આથી તમારે બહુ મહેનત-મજૂરી કરવી નહિ પડે.’

બોધિસત્વે ઘડીક વિચાર કર્યો. પણ પછી પેલો સિક્કો ઉઠાવી લીધો. કહ્યું કે ભલે મા ! હમણાં જ તમારે માટે ખાવાનું લઈ આવું છું. એ જલદીથી નજીકને ગામ ગયા. કંદોઈની દુકાનેથી ખાવાનું લઈ આવ્યા. ઉંદરડીને જોઈએ તેટલું ખાવાનું આપ્યું. પોતે જમ્યા. વધેલું ખાવાનું સાંજ માટે એક પોટલીમાં બાંધ્યું. પછી એ કામે વળગ્યા અને શેઠાણી ઉંદરડી આરામ કરવા ગઈ. એ પછી તો આ હંમેશનો નિયમ થઈ ગયો. ઉંદરડી શેઠાણી ખજાનામાંથી એક સિક્કો લઈ આવે. સલાટને આપે. સલાટ જલદી જલદી ખાવાનું લઈ આવે. આમ ઉંદરડીને ખાવાનું શોધવાની ચિંતા ન રહી. એથી ધીરે ધીરે એની તબિયત સારી થવા લાગી. હવે એ દરરોજ સલાટ સામે બેસતી. એનું કામ જોતી. અલકમલકની વાતો કરતી. બંને વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ. પણ વળી એક દહાડો એક નવી આફત આવી. એક રાતે ઉંદરડીને એક બિલાડાએ પકડી. ઉંદરડીએ હાથ જોડ્યા. વિનંતી કરી,
‘મહેરબાન, મને મારી ખાશો નહિ.’
બિલાડો કહે : ‘કેમ ન ખાઉં ? મને ભૂખ લાગી છે અને તું મારો ખોરાક છે. તને ન ખાઉં તો મારી ભૂખ કેમ મટે ?’
ઉંદરડી કહે : ‘સ્વામી ! મને ખાવાથી તમારું પેટ આજે ભરાશે. પણ કાલે તો ખાલી થઈ જશે ને !’
બિલાડો કહે : ‘હાસ્તો ! એક વારનું ખાધેલું કાંઈ કાયમ થોડું જ રહે છે !’
ઉંદરડી કહે : ‘ત્યારે તમને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ કરી આપું તો ?’
બિલાડાને નવાઈ લાગી : ‘અબે, મૂઠી એકની ઉંદરડી ! તું વળી મને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ ક્યાંથી કરવાની ?’
ઉંદરડી કહે : ‘એની ચિંતા તમે ન કરો. બિલાડા મહારાજ ! કાલથી તમને પેટપૂર ખાવાનું મળશે, બસ ?’
બિલાડો કહે : ‘ઠીક છે. તું કહે છે તો કબૂલ કરું છું. પણ યાદ રાખજે- જો કદી મને ખાવાનું ન મળ્યું કે ઓછું મળ્યું તો તને ખાઈ જઈશ ! હું તારી સામે ને સામે રહીશ.’ આવું નક્કી થયું એટલે ઉંદરડીએ પોતાના ખાવાનામાંથી બે ભાગ કરવા માંડ્યા. સલાટ એને માટે જે લાવે એમાંથી ઘણું ખાવાનું એ બિલાડાને માટે રાખતી. પોતે થોડુંક જ ખાતી. રાતની વેળા બિલાડો આવતો અને પોતાનો ભાગ ખાઈ જતો.


પંખી

પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે
ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.
અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.
ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે
પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.

ચકીબેન

એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા

Tuesday, September 25, 2012

ચોમાસાનો પ્રથમ વરસાદ પડયા બાદ ભીની માટીમાંથી સુગંધ કેમ આવે છે ?

બાળમિત્રો, તમે વરસાદ પડયા બાદ ભીની માટીમાંથી એક ખાસ પ્રકારની સુંગંધ અનુભવતા હોવ છો, આ સુગંધ આવવાનું મુખ્ય કારણ એ છે કે કોરી માટીમાં ફૂગના અતિસૂક્ષ્મ એવા બીજાણુઓ સુષુપ્ત અવસ્થામાં પડયા હોય છે. વરસાદના પ્રથમ ફોરાં જમીન પર વરસે કે તરત કેટલાક બીજાણુઓ જેને fungal spores કહેવામાં આવે છે એ હવામાં તરતા થાય છે તેમજ માટી સાથે રહેલી તજ સમાન મંદ સુગંધ પણ મુક્ત બનીને બધી જગ્યાએ ફેલાય છે.
કેટલાક બીજાણુઓ ધરાવતું અમુક ફૂગનું આવરણ પેક હોય છે ત્યારે વરસાદી ટીપાંનો પ્રહાર તેને તોડી નાખે છે. ફૂગ બીજાણુઓ ભેગી સુગંધને પણ પ્રસરાવી દે છે, જેને આપણે ભીની માટીની ફોરમ તરીકે ઓળખીએ છીએ. ઘણી વાર વરસાદનું આગમન થયા પહેલાં જ સુગંધ ફેલાવા લાગે છે. જેનું મુખ્ય કારણ એ છે કે, વરસાદના આગમન પહેલાં હવાનું દબાણ ઘટે છે એટલે ફૂગ પોતાનો વંશવેલો વધારવા માટે સંજોગો સર્જાતા એ જ સમયે બીજાણુઓને મુક્ત કરે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા કરતાં વધી જાય છે ત્યારે પણ આ ફૂગ પ્રજોત્પતિનો મોકો જવા દેતી નથી અને આપણને આ સમયે સુગંધ અનુભવાય છે.

મૂર્ખ શિષ્યો ગુરુ માટે બન્યા આફત

એક આશ્રમમાં ગુરુજી તેમના શિષ્યો સાથે રહેતા હતા. ગુરુજી તેમને ભણાવતા. શિષ્યો આશ્રમમાં રહી ગુરુજીની સેવા કરતા તેમજ આશ્રમનું કામકાજ કરતા. આ આશ્રમમાં કેટલાક દિવસથી બે નવા શિષ્યો ભણવા આવ્યા હતા. તે બંને શિષ્યો એકબીજા પર ભારે ખાર કરતા રહેતા. ગુરુજીએ આ બંને શિષ્યોને પોતાના પગ દબાવવાનું કામ સોંપ્યું હતું. એક શિષ્યને ડાબો પગ દબાવવાનું કામ અને બીજા શિષ્યને જમણો પગ દબાવવાનું કામ સોંપ્યું. બંને શિષ્યો ગુરુજીની સૂચના પ્રમાણે એકેક પગ દબાવતા.
એક દિવસ ડાબો પગ દબાવનાર શિષ્યને બહારગામ જવાનું થયું, તેથી ગુરુજીએ જમણો પગ દબાવનારા શિષ્યને ડાબો પગ દબાવવાનું પણ કહ્યું. શિષ્ય એનો ઇન્કાર કરતાં બોલ્યો, "ડાબો પગ દબાવનારો શિષ્ય મારી સાથે ઝઘડે છે, એટલો એનો પગ હું નહીં દબાવું."
ગુરુજીએ એને સમજાવતાં કહ્યું, "આ પગ પણ મારો જ છે. એની સેવાનું ફળ પણ તને જ મળશે." પરંતુ ગુસ્સે થયેલા આ શિષ્યે નજીકમાં પડેલો દંડો ઉપાડી જોરથી તેમના ડાબા પગ પર માર્યો. ગુરુજી દર્દથી ચીસ પાડી ઊઠયા. આશ્રમના શિષ્યો દોડી આવ્યા અને પેલા શિષ્યને ખૂબ માર્યો.
બીજા દિવસે ડાબો પગ દબાવનાર શિષ્ય બહારગામથી આવ્યો. તેણે જાણ્યું કે તેના શત્રુએ ગુરુજીનો પોતે જે પગ દબાવતો હતો તે ભાંગી નાખ્યો છે, એથી એ ખૂબ ગુસ્સે થયો. એ તરત જ ગુરુજી સૂતા હતા ત્યાં ગયો અને ગુરુજીનો જમણો પગ કે જે પેલો બીજો શિષ્ય દબાવતો હતો તે દંડા વડે ભાંગી નાખ્યો. પરસ્પર દ્વેષવાળા શિષ્યોએ પોતાની મૂર્ખતાને કારણે ગુરુજીના બંને પગ ભાંગી નાખ્યા! 
બોધઃ મૂર્ખને કામ સોંપતાં પહેલાં સો વખત વિચારવું જોઈએ. મૂર્ખ માણસનો સંગ પણ ઘણી આફતોને નોતરે છે.

રાજાને બોધપાઠ

મિથિલા નામે એક નગર હતું. તેમાં એક રાજા રાજ કરતો હતો. તેનું નામ ઇન્દ્રવર્મા હતું. તે બહુ ધનવાન હતો, પરંતુ કંજૂસ અને બહુ લોભી હતો.
રાજા ઇન્દ્રવર્મા લોભી અને કંજૂસ હતો એટલે દાન કરવામાં માનતો જ ન હતો. રાજદરબારમાં જો કોઈ પીડિત વ્યક્તિ આવે તો તેમને પણ દાન કરતો નહીં અને રાજ્યના અત્યંત ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ મદદ કરતો નહીં. રાજ્યમાં જો કોઈને અગવડ પડે તો પણ તે રાજ્યની તિજોરીમાંથી કોઈને એક કાણી પાઈ પણ આપતો નહીં, તેથી ગામના લોકો તેના લોભિયાપણાથી ખૂબ પરેશાન થઈ ગયા હતા.
એક દિવસ રાજા તિજોરીના પૈસાની વાતો કરતો હતો ત્યારે આ વાત એક ચોર સાંભળી ગયો. તેણે અંધારી રાતમાં રાજ્યની તિજોરી લૂંટવાનો નિર્ણય કર્યો. બીજી જ રાત્રે તેણે રાજ્યની તિજોરીમાંથી બધું જ ધન લૂંટી લીધું અને ગામ છોડી બીજા ગામે નાસી ગયો.
થોડા દિવસો પછી રાજાએ તેની તિજોરી ખોલી તો તિજોરી ખાલી નીકળી ! રાજા સ્તબ્ધ થઈ ગયો. હવે દિવસે દિવસે રાજાને પૈસાની ખૂબ જ અગવડ પડવા માંડી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. નગરના ભલા લોકોએ રાજા ઇન્દ્રવર્માને મદદ કરવાનું વિચાર્યું. જ્યારે નગરના બધા લોકોએ તેને રૃપિયા અને થોડાં ઘણાં ઘરેણાં આપી મદદ કરી ત્યારે રાજાને ખૂબ જ પસ્તાવો થયો. તેને સબક મળી ગયો. રાજાની તિજોરી ફરીથી છલકાઈ ગઈ. રાજાએ નિર્ણય લીધો કે હવે તે રાજ્યના દરેક નાગરિકની મદદ કરશે અને ક્યારેય લોભ નહીં કરે.
બોધઃ આપણે ક્યારેય અતિ લોભ કરવો જોઈએ નહીં. અતિ લોભ કરવાથી તેનું ફળ પણ ખરાબ જ મળે છે.

પ્રામાણિક ખેડૂત

ઘણા સમય પહેલાંની આ વાત છે. એક રાજા રાજ્ય કરતો હતો. તેને રાજ્યના ખજાના માટે સારું રક્ષણ કરી શકે તેવા ખજાનચીની જરૂર હતી. ઈમાનદાર અને પ્રામાણિક માણસને ખજાનચી બનાવવાની તેની ઈચ્છા હતી. ઘણાની પરીક્ષા લીધી પરંતુ કોઈ બરાબર જણાયું નહીં.
રાજધાનીથી થોડે દૂર એક ખેડૂત રહેતો હતો. તૂટેલી ઝૂંપડી હતી. વરસાદમાં ઘરમાં પાણી ટપકતું હતું.
ખેડૂત અને તેનું કુટુંબ એક વાર જમીને જંિદગી વીતાવતાં હતાં. સવારના પહોરમાં ખેડૂત ખેતરે જતો હતો. તેવામાં તેની નજર ઘર આગળ પડેલા એક ઘડા ઉપર પડી. આ માટીનો ઘડો છલોછલ સોનામહોરોથી ભરેલો હતો.
ખેડૂત દંગ થઈ ગયો. ઘડો લઈને તે ઘેર ગયો. સોનામહોરોથી જીવન સુધરી જશે એમ બાળકો વિચારતાં હતાં.
પરંતુ ખેડૂત અને તેનાં પત્ની આવું અણહકનું ધન લેવા માગતાં ન હતા. તેમણે તે ઘડો રાજાને સોંપવા વિચાર્યું. ખેડૂત અને તેનાં પત્ની રાજદરબારમાં ગયાં. અને નમ્રતાથી ઘડો કેવી રીતે મળ્યો તેની વાત રાજાને કરી.
રાજાએ ઘડો લઈ લેવા ખેડૂતને કહ્યું. પણ ખેડૂત કહે, ‘‘રાજાસાહેબ! આ ધન મારું નથી. અમે તો અમારા પરસેવાની કમાણીથી ગુજરાન ચલાવીએ છીએ. માટે કૃપા કરીને આ ઘડો રાજ્યમાં જમા કરાવો.’’
ગરીબ ખેડૂતની દશા રાજાએ જોઈ પણ તેની પ્રામાણિકતા અને ઈમાનદારીથી તે અત્યંત રાજી થયો. થોડી સોનામહોરો ઈનામ તરીકે લેવા પણ ખેડૂતે ના પાડી.
રાજા સંિહાસન ઊપરથી ઊતર્યો અને ખેડૂતને ભેટી પડ્યો. મારે તારા જેવા ખજાનચીની જરૂર હતી. આજથી તું મારા રાજ્યનો ખજાનચી છે. ખેડૂત દંપતીના મોં પર આનંદ છવાયો.
હકીકતમાં પરીક્ષા કરવા રાજાએ આ ઘડો મુકાવ્યો હતો. જેણે જેણે સોનામહોરો લીધી હતી તેમને સજા કરી હતી. ઘડાને જમા કરાવનાર ફક્ત ખેડૂત જ નીકળ્યો. રાજાએ કહ્યું, ‘‘જગતમાં પ્રામાણિકતા અને ઈમાનદારી મહાન ગુણો છે.’’

Sunday, September 16, 2012

શાળાની સંખ્યા

~) hn&mingQ {s)m} p\i.SiLi-Ci(syi ti-jsdN (j-rijki[T

Fi[rN
k&mir
kºyi
k&l
1
09
13
22
2
07
17
24
3
16
12
28
4
12
15
27
5
19
13
32
6
08
10
18
7
07
11
18
k&l
78
91
169

Sunday, July 1, 2012

લાલચમાં ફસાયેલું શિયાળ


એક શિયાળ જંગલમાં આખો દિવસ ખોરાકની શોધમાં આમતેમ ભટક્યા કરતું હતું. પૂરતો ખોરાક ન મળવાને કારણે તેનું શરીર દૂબળું પડી ગયું હતું. એક દિવસ ખોરાકની શોધમાં શિયાળ એક મોટા ઝાડ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને ઝાડના થડની બખોલમાં માંસનો જથ્થો દેખાયો. કોઈક રાની પશુએ શિકારને મારીને માંસનો જથ્થો આ બખોલમાં નિરાંતે ખાવા માટે રાખ્યો હશે, પણ પછી ભયને કારણે એ પશુ નાસી ગયું હશે. શિયાળને તો મજા પડી ગઈ. આમ તો એને માંડ માંડ ખોરાક મળતો હતો, પણ આજે તો માંસનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. બખોલનું દ્વાર સાંકડું હતું પણ શિયાળ દુબળું હતું એટલે તેને એની અંદર પ્રવેશવામાં ખાસ કોઈ મુશ્કેલી ન નડી. એ તો બખોલમાં પ્રવેશીને આરામથી માંસ આરોગવા લાગ્યું. માંસ તાજું હતું અને વળી મોટો જથ્થો હતો એટલે શિયાળ ઘણા દિવસ સુધી ભરપેટ ખાઈને બખોલમાં જ પડી રહ્યું. થોડા દિવસ પછી માંસ પૂરું થયું એટલે શિયાળે બખોલ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ સતત માંસ ખાઈને શિયાળ તગડું થઈ ગયું હતું. તેના પેટનો ભાગ બખોલમાંથી બહાર નીકળી શક્યો નહીં. શિયાળ બખોલમાં બરાબરનું, અડધું બહાર અને અડધું અંદર અટવાઈ ગયું.
બખોલના દ્વારમાં ફસાયેલા શિયાળને બીજા એક શિયાળે જોયું. તે શિયાળે ફસાયેલા શિયાળ પાસે આવીને ફસાયાનું કારણ પૂછયું. બખોલમાં અટવાયેલા શિયાળે તેને આખી વાત કરી. પેલા શિયાળે કટાક્ષમાં કહ્યું કે હવે તું થોડા દિવસ આમ જ ફસાયેલું રહીશ એટલે પહેલાંની માફક થોડું દૂબળું થઈ જઈશ. ત્યાર બાદ બહાર નીકળજે. હિંસક પ્રાણીથી બચીને રહેજે નહિતર તારું આવી બનશે. આટલું કહીને પેલું શિયાળ તો ત્યાંથી ચાલ્યું ગયું. ફસાયેલા શિયાળે જેટલા દિવસ પેટ ભરીને ખૂબ માંસ ખાધું હતું, એ જ રીતે તેને વળી બીજા એટલા દિવસ ભૂખ્યાપેટે રહેવું પડયું. એ પહેલાં જેવું દૂબળું થયું પછી જ બખોલમાંથી બહાર નીકળી શક્યું. 
બોધ : વધારે મેળવવાની કોશિશમાં ઘણી વાર અતિરેક થઈ જાય છે. વિચાર્યા વગરના નિર્ણયો અમુક વખતમુશ્કેલીમાં મૂકી દે છે.

Friday, June 8, 2012

I.M.P. WEBSITE



ReadGujarati.com: બાળસાહિત્ય

Welcome to PTC

Vidyasahayak Bharti 2010

Education Department - GCERT

marugujarat.in

Studying On

सरकारी नौकरी - Government Jobs India - Sarkari Naukri -- www.SarkariNaukriBlog.com

Result Saurashtra University

Rozgaar Samachar | Publication | Library | Home | Gujarat Information

Safari - Gujarati Magazine from India | Harshal Publications

વિકિપીડિયા

GSSTB | Textbook | Standard-6 | Science (Semester-1)

State Examination Board

http://www.gujaratiprakruti.com/

School Report Cards

------------------------------------------NEWS PAPER------------------------------------------------
Gujarati News – News in Gujarati – Gujarat News – Gujarati News Headlines – Gujarati Breaking News - Daily Gujarati News - Gujarati News Paper

Sandesh Gujarati Newspaper - Gujarati News, Gujarat News, Gujarati Samachar, News from Ahmedabad, Baroda, Surat, Rajkot, Bhavnagar & Bhuj Home

Gujarat Samachar : World's Leading Gujarati Newspaper, Gujarati News, News in Gujarati, Gujarat News, News from Ahmedabad, Baroda, Bhuj, Bhavnagar, Rajkot, Surat, Gujarati News Headlines, Gujarati Headlines, Breaking News, 2G Spectrum Scam Exposed, 2g Scam Explained, video clip, muncipal, kite, festival, ahmedabad news, Politics news, opposition party, congress, bjp


Thursday, June 7, 2012

અજબ ગજબની વાતો


 માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે એ વિશે તો લગભગ બધાંને જાણ હોય છે પણ માઉન્ટ એવરેસ્ટ અંગે ઓછી જાણીતી વાતો અહીં જાણીએ.
મોસ્કોની એક કંપનીએ બ્રેડના પેકેટમાં મરેલો ઊંદર ભૂલથી પેક કરીને વેચી દેતાં ગ્રાહકે ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ બદલ રૂ. 7 કરોડચૂકવવા પડયા.
વિશ્વનું સૌથી મોટું પુસ્તક 'સુપર બુક' છે. એનું વજન બાવીસો કિલો છે. આ પુસ્તક ૧૯૭૬માં અમેરિકાથી પ્રગટ થયેલું !
પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦ કરતાં વધારે નાના-મોટા ટાપુઓ આવેલા છે.
સૌથી મોટું બેડમિન્ટન શટલ કાન્સાસ શહેરમાં આવેલા નેલ્સન એટકિન્સ આર્ટ મ્યુઝિયમમાં આવેલું છે.
બુર્જ ખલીફા ૮૨૮ મીટરની ઊંચાઈ ધરાવે છે.
વિશ્વનું સૌથી મોટું ફોટો આલબમ વિએતનામના ફોટોગ્રાફર હિતોમી તોયામાએ તૈયાર કર્યું હતુ.
બુર્જ ખલીફામાં ૨૭ એકર જમીનમાં ગાર્ડન આવેલો છે.
સૌથી મોટી બાસ્કેટ એટલે કે ટોપલી ૧૯૯૦માં અમેરિકામાં બનાવવામાં આવી હતી.
બુર્જ ખલીફા વિશ્વનું સૌથી ઊંચું બાંધકામ છે.
જાપાન દેશમાં એક એવી ઘડિયાળ છે કે જે દુનિયાના મુખ્ય શહેરોનો સમય બતાવે છે.
દુનિયાનો સૌથી મોટો ધાબળો સત્તરહજાર બસો ને નેવ્યાસી મીટર ચોરસ લાંબો છે.
દુનિયાનો સૌથી મોટો ધાબળો ૧૯૯૩ના મે મહિનાની તારીખ ૩૦મીએ બ્રિટનમાં બનાવાયો હતો.
ઝિમ્બાબ્વેમાં એક નાના ગામમાં રહેતાં ૬૮ વરસના યુવાને હાલમાં ૨૪ પત્નીઓ છે અને ૧૩૯ સંતાનો છે.
ઝિબ્રા ક્રોસિંગ નો સૌથી પહેલાં ઉપયોગ ૧૯૧૧ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં થયો હતો.
દુનિયામાં સૌથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકામાં આવેલાં ઝાંઝીયાબારમાં છે.
માચીસની સૌથી પહેલી ફેક્ટરી સ્વીડનમાં શરૂ થઈ હતી.
પૃથ્વી આખેઆખી ગોળ નથી. તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સહેજ દબાયેલી એટલે કે ચપટી છે.
વિશ્વની પહેલી નવલકથા ‘ધ સ્ટોરી ઓફ ગેન્જી’ જાપાનીઝ મહિલા મુરાસાકી શિકિબુએ ૧૦૦૭માં લખી હતી.
દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.
ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.
વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.
વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.
ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ થાય છે.
ત્રિકોણમીતિની શોધ ભારતમાં થઈ હતી.
વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે આવેલું છે. દરિયાની સપાટીથી આ મેદાન ૨,૪૪૪ મીટરની ઊંચાઈ ધરાવે છે. ૧૮૯૩માં આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
એરિઝોનામાં ઊંટ ચલાવવા ગેરકાયદેસર માનવામાં આવે છે.
રશિયામાં આવેલા શ્વેત રણમાં માઈનસ ૨ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે.
આજે પણ ૬ દેશો એવા છે જેઓ ઈન્ટરનેટનું જોડાણ નથી ધરાવતા.
મિઆમીમાં કોઈ પણ પ્રકારની નકલ કરવી તેને ગુનો માનવામાં આવે છે.
વિશ્વમાં સૌથી વધુ સમાચારપત્રો અમેરિકા અને કેનેડામાં પ્રકાશિત થાય છે.
વિશ્વનું સૌથી સૂકું સ્થળ ચિલીમાં આવેલું અટકામાનું રણ છે.

બાળવાર્તા


નાનું સરખું રામપુર નામે એક ગામ. એમાં એક શેઠ રહે. ગામમાં એમની એક જ દુકાન. આગળના ભાગમાં દુકાન ને પાછળ મકાન. શેઠનો દીકરો શહેરમાં રહી વેપાર કરે. ઘરે શેઠ અને શેઠાણી આનંદથી રહે.
ગામમાં શેઠની શાખ સારી. ગામલોકો શેઠને માન દઈને બોલાવે. શેઠ પણ સ્વભાળે દયાળુ. માપનો નફો રાખી વેપાર કરે. ગરીબ-ગુરબાંને ઉધાર પણ આપે. ક્યારેક વાર-તહેવાર ગરીબોને મફત નાસ્તો પણ વહેંચે. નિશાળમાં જઈ છોકરાંઓને ચવાણું ને ચોકલેટ પણ વહેંચે. શહેરમાં દીકરાનો વેપાર સારો ચાલતો હતો તેથી શેઠ સંતોષ રાખી જીવતા હતા. શેઠ જેવા દયાળુ એવા ચતુર પણ ખરા. ગામમાં ક્યાંક ઝઘડો થાય તો તેના સમાધાન માટે લોકો શેઠને બોલાવતા. શેઠ બંને પક્ષને સાંભળે ને પછી બંનેને સંતોષ થાય એવો ઉકેલ સૂચવે. એ જોઈ બેઉ પક્ષ રાજી થાય. તેઓ શેઠનો આભાર માની રસ્તે પડે.
ઉનાળાની ઋતુ હતી. તાપ કહે મારું કામ. લોકો ગરમીથી બચવા ઘરની બહાર ચોકમાં ખાટલા ઢાળી ઊંઘી જતા. શેઠની દુકાન અને ઘર વચ્ચે ખુલ્લો ચોક હતો. શેઠ ને શેઠાણી ત્યાં પલંગ પાથરીને ઊંઘતાં
એક રાતની વાત. શેઠ-શેઠાણી ઊંઘી ગયાં હતાં. મધરાત પછીનો સમય થયો હતો. અચાનક બંધ દુકાનમાંથી અવાજ આવ્યો, શેઠ-શેઠાણી જાગી ગયાં. શેઠાણી બોલવા જતાં હતાં પણ શેઠે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા જણાવ્યું. એમને લાગ્યું કે દુકાનમાં કોઈ ઘૂસ્યું લાગે છે. જો બિલાડી હોત તો ક્યારની દોડી ગઈ હોત. ચોર ઘૂસ્યો હોય એવું બંનેને લાગ્યું.
શેઠની દુકાનમાં આ પહેલાં કદી ચોરી થઈ ન હતી. શેઠને પ્રશ્ન થયોઃ ચોર ગામનો હશે કે બહારગામનો? એક હશે કે વધારે? શેઠને થયું કે ચોરને પકડું તો જ હું ખરો ચતુર.
''શેઠે મોટેથી શેઠાણીને બૂમ પાડી જેથી ચોર પણ સાંભળે. કહું છું મેં તમને પેલી પૈસાની થેલી આપી હતી તે માટલીમાં જ મૂકી છે ને?''
શેઠાણી કહે, ''હા, ભૈસાબ, પણ અટાણે રાતે એનું શું છે?'' શેઠ બોલ્યા, ''ને એ માટલી માળિયામાં જ ઘરમાં સંતાડી છે ને?'' શેઠાણી કહે, ''હા, ભૈ હા સલામત જ છે. ઊંઘી જાવ કોઈ ચોર ચોરી નહીં જાય?''
શેઠાણી પણ શેઠની સાથે રહી ચતુર થઈ ગયાં હતાં. શેઠ શો ઉપાય કરવા માંગતા હતા તે સમજાતું ન હતું. શેઠ બોલ્યા, ''હાશ, હવે નિરાંત થઈ. મને એમ કે એ કોથળી હું દુકાનમાં તો મૂકીને આવ્યો નથીને? ક્યાંય ઉંદરડા કાપી ન ખાય.
શેઠાણી કહે, ''હવે ઊંઘો નિરાંતે તે મનેય ઊંઘવા દો'' ને પછી બંને ઊંઘવાનો ઢોંગ કરી પડી રહ્યાં. શેઠ નસકોરાંય બોલાવવા માંડયા. શેઠ-શેઠાણીનો આ સંવાદ દુકાનમાં સંતાયેલા ચોરે પણ સાંભળ્યો. તેને થયું કે દુકાનમાં નાનીમોટી ચીજ લેવી એના કરતાં ઘરમાં જઉં તો દલ્લો મળી જશે.
આમ વિચારી ચોર થોડી વાર દુકાનમાં ચૂપ બેસી રહ્યો ને પછી બિલ્લીપગે બહાર નીકળ્યો. ભીંતે લપાતો લપાતો ઘર બાજુ ગયો. ઘરને તાળું માર્યું ન હતું એટલે હળવેથી સાંકળ ખોલી અંદર ઘૂસ્યો અંદર જઈ બારણું બંધ કર્યું પછી તે માળિયામાં ચડયો.
આ બાજુ શેઠ પણ ચૂપચાપ ઊભા થયા. બારણા નજીક ગયા ને બહારથી બારણાની સાંકળ ચડાવી દીધી. અવાજ સાંભળી ચોર ભડક્યો તેને થયું કે શેઠે તેને ફસાવ્યો, તે માળિયામાં જ બેસી રહ્યો.
શેઠ કહે, ''શેઠાણી, જાગો છો કે ઊંઘો છો?''
શેઠાણી હડપ દઈ બેઠાં થઈ કહે, ''ક્યારની જાગું છું પણ હવે જાગવાની જરૂર નથી. નિસંતે ઊંઘી જાવ. સવારે વાત.''
શેઠ હસીને કહે, ''પણ ઘરમાં બિલાડો ઘૂસ્યો છે એનું શું?'' શેઠાણી કહે, ''ભલેને ઘૂસ્યો એ કાંઈ દૂધ-ઘી નહીં ચાટી જાય. સવારે બહુ ભૂખ્યો થશે એટલે બરાબરનો મેથીપાક જમાડીશું''
ચોરે આ સંવાદ સાંભળ્યો ને એ ભડક્યો. એને થયું કે આજ એ બરાબરનો ફસાયો હતો. સવારે શેઠ પોલીસને બોલાવશે ને પછી પોલીસ એને બરાબરનો મેથીપાક જમાડશે એના કરતાં લાવ, અત્યારે જ શેઠની માફી માગી લઉં. એમને સાચી હકીકત કહી દઉં...ળ ચોર નીચે ઊતર્યો. તે બારણા પાસેની બારી નજીક આવ્યો. શેઠ હજી બારણા પાસે જ ઊભા હતા તે હાથ જોડી કરગરવા લાગ્યો. ''શેઠ બાપા, વખાનો માર્યો ચોરી કરવા નીકળ્યો છું. મારો આટલો ગુનો માફ કરી દો.''
શેઠે પૂછયું, ''કયા ગામનો છે? તારું નામ શું?''
ચોર બોલ્યો, ''બાજુના સીતાપર ગામનો છું મારું નામ લખાજી.'' શેઠે પૂછયું, ''ચોરી કરવી પાપ છે? કાલ તારી ખબર છે.''
ચોર કરગરતાં બોલ્યો, ''બાપા,આજ પહેલી વાર ચોરી કરવા નીકળ્યો છું ને પકડાઈ ગયો. ઘરમાં ચાર છોકરાં છે. ઉનાળાના કોરા દા'ડા ચાલે છે એટલે મજૂરી મળતી નથી. એટલે નાછૂટકે બાપા...''
શેઠ બોલ્યા, ''સાચું બોલે છે? કે પછી...''
ચોર ગળા પર હાથ મૂકી બોલ્યો, ''શેઠ બાપા, મારા દીકરાના સોગન, જો ખોટું બોલતો હોઉં તો...'' એટલામાં શેઠાણી પણ નજીક આવ્યાં. શેઠ બોલ્યા, ''શેઠાણી આ બિલાડાનું શું કરશું?''
શેઠાણી બોલ્યાં, ''મારી વાત માનો તો બિચારાને છોડી દો.''
શેઠ કહે, ''ના, આજ એને નહીં છોડું. ઘણાં દા'ડે લાગમાં આવ્યો છે.'' આ સાંભળી ચોર વધારે ગભરાયો તે રડવા લાગ્યો એટલે શેઠ કહે, ''તું રડીશ એટલે છોડી દઈશ એવું ના માનતો. જો ભાઈ લખાજી, સાંભળ કાલથી તારે મારી દુકાનમાં કામ કરવા આવી જવાનું. તને હું નોકરી પર રાખી લઉં છું બોલ, હવે તો ખુશને?''
લખાજી નવાઈ પામી શેઠ સામે તાકી રહ્યો, ''શેઠ બાપા, આ તમે સાચું કો છો કે પછી...''
શેઠ કહે, ''લખાજી, આ શેઠાણીના સોગન, બસ? ને હસી પડયા. શેઠાણી કહે, ''ભૈ, આ શેઠ કદી મશ્કરીમાંય જૂઠું બોલતા નથી. આજ તારાં ભાગ્ય ઊઘડી ગયાં ભૈ!''
શેઠ કહે, ''હવે ઝટ એને બા'ર કાઢો શેઠાણી" શેઠાણીએ બારણું ઉઘાડયું ''ને સાંભળો, ઘરમાંથી થોડા દાળ-ચોખા આપો જેથી એનાં ભૂખ્યાં છોકરાં સવારમાં પેટ ભરીને જમે.'' ને લખાજી શેઠ-શેઠાણીના પગમાં પડી ગયો. ''શેઠ બાપા, તમારો ઉપકાર જીવનભર નૈં ભૂલું...''  

બોધ કથા


એક નાનકડા ગામમાં એક ડોશીમા એકલા રહેતાં હતાં. ડોશીમાનો સ્વભાવ ખૂબ માયાળુ હતો. ગામમાં જરૂર પડયે બધાની મદદ કરતા રહે. પશુ, પક્ષીઓ તરફ પણ એમને એટલી જ માયા. ચકલાને ચણ નાખે અને ગાયોને ચારો પણ નાખે. ગામમાં કોઈ અભ્યાગત આવે એની સંભાળ પણ આ માજી જ કરે. હવે તો ગામમાં કોઈ આવે એટલે ગામ લોકો પણ ડોશીમાનું ઘર જ બતાવી દે. તેમના ગામમાં જ નહીં પણ આસપાસના થોડાંક ગામડાંઓમાં પણ તેમના આ માયાળુ સ્વભાવની બધા પ્રશંસા કરવા લાગ્યા. અમુક શાણા માણસો તો વળી ડોશીમાને શીખામણ પણ આપે કે માજી આ દુનિયામાં બધા લોકો સરખા નથી હોતા, ક્યારેક તમે તમારા આ માયાળુ સ્વભાવના કારણે મુશ્કેલીમાં મુકાઈ જશો. માજી શીખામણ આપનારને શાંતિથી જવાબ આપે કે જો ભાઈ હું તો બધાની સંભાળ રાખવાની માત્ર કોશિશ કરું છું, બાકી ખરી સંભાળ તો ઉપરવાળો રાખે છે. મારું ધ્યાન પણ એ જ રાખશે. શાણા માણસો ચર્ચા કરતા કે બિચારા આ ભોળા માજી તેના આ દયાળુ સ્વભાવના કારણે નક્કી ક્યારેક મુસીબતમાં મુકાશે.
ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ હતી અને એમાંયે વળી આ વખતે બરફ પણ પડયો. ઠંડી એવી પડી રહી હતી કે લોકો ઘરની બહાર જ નીકળતા ન હતા. માણસો પાસે તો ઠંડીથી બચવાના કેટલા ઉપાયો હતા, પણ બિચારા અબોલ પશુઓની હાલત તો એથીય બદતર હતી. એવામાં એક સાપ ડોશીમાની નજરે પડયો. એકદમ મૃત હાલતમાં હોય એ રીતે ઠંડીથી બેહાલ સાપ પર માજીને દયા આવી ગઈ. સાપને બહુ કાળજીપૂર્વક હાથમાં ઉઠાવીને માજી ઘરમાં લઈ આવ્યાં. સાપને દૂધ પીવડાવ્યું અને ઘરના ગરમ વાતાવરણથી સાપના શરીરમાં નવી ચેતના આવી. તેના શરીરમાં લોહીનું ભ્રમણ થવા લાગ્યું. અચાનક તેને વાચા ફૂટી. સાપે માજીને કહ્યું કે, 'આજે તમે મને નવજીવન આપ્યું છે. તમે મને ઘરમાં લાવીને આટલી સંભાળ ન રાખી હોત તો કદાચ હું મૃત્યુ પામ્યો હોત.' ડોશીમા કશું બોલ્યા નહીં, તે તો ફરીથી સાપ માટે દૂધ લઈ આવ્યા. આ દૂધ પીવાથી સાપને વધુ શક્તિ મળતી જણાઈ. હવે માજી પણ ખુશ થયાં. એક મરી જતા સજીવનો જીવ બચાવવા તે નિમિત્ત બન્યાં તેનો તેમને આનંદ હતો.
હવે ધીરે ધીરે સાપ તેના અસલ સ્વરૂપમાં આવતો હતો. ફેણ માંડી હલાવતો હતો. તેણે તેના મૂળ સ્વભાવ મુજબ ડોશીમાને કહ્યું કે, 'હું તમને ડંખ મારીશ.' માજી તો વિચારમાં પડી ગયા કે થોડી વાર પહેલાં તેનો જીવ બચાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતો આ સાપ હવે ઉપકાર ભૂલી જઈને ડંખ મારવા તૈયાર થયો છે તો હવે મારે શું કરવું જોઈએ? ડોશીમા વિચારતા હતા ત્યારે તેને પેલા શાણા માણસોની શીખામણ યાદ આવી કે દુનિયામાં બધા લોકો ઉપકારનો બદલો ઉપકારથી જ વાળે એ જરૂરી નથી એટલે આપણે ચેતતા રહેવું જોઈએ.
માજીએ એક યુક્તિ કરી અને સાપને કહ્યું કે, 'સારું તું તારે મને ડંખ મારજે, પણ ત્યાં થાળીમાં મેં હજુ તારા માટે દૂધ રાખ્યું છે એ પી લે પછી મને ડંખજે.' સાપને થયું કે ડોશીમાનું ચસકી ગયું લાગે છે. હું તેને ડંખવાની વાત કરું છું અને તો પણ તે મને દૂધ આપે છે. દૂધ પી લઈશ પછી તો મારામાં વધુ બળ આવી જશે એમ વિચારીને તે થાળીમાં રાખેલું દૂધ પીવા ગયો. થાળી પિંજરામાં રાખી હતી. જેવો સાપ પિંજરામાં દાખલ થયો કે માજીએ તેને કેદ કરી લીધો. માજીએ કહ્યું કે, 'મને ખબર હતી કે કોઈ પણ સજીવ તેની પ્રકૃતિ છોડી શક્યો નથી અને એટલે તારા સ્વભાવમાં બદલાવ આવી જાય તો એનો ઉપાય પણ શોધી રાખ્યો હતો.' જીવ બચાવનાર માજીને ડંખવાની ઇચ્છા રાખનાર સાપને પોતાની કરણી પર ખૂબ જ ગ્લાનિ થઈ આવી. તેણે માજીની માફી માંગી અને પિંજરામાંથી છોડી મૂકવાની આજીજી કરી, પણ ડોશીમાએ તેને ન છોડયો અને કહ્યું કે એક વાર છોડી દીધા પછી તારો સ્વભાવ ફરીથી મને ડંખ મારવા પ્રેરશે એટલે હવે યોગ્ય સમયે હું તને જંગલમાં જ છોડી મૂકીશ.
બોધઃ દરેકને મદદ કરવાની ભાવના ખૂબ સારી વાત છે, પણ એમાં વિવેકબુદ્ધિ રાખવામાં જ શાણપણ છે. દરેક વખતે ઉપકારનો બદલો ઉપકારથી જ મળે એમ બનતું હોતું નથી. કોઈ પણ સજીવ પોતાની સ્વભાવગત પ્રકૃતિ લાંબો વખત છુપાવી શક્યો નથી એટલે એ સામે આવી જ જાય છે.              

Saturday, May 26, 2012

ધોરણ -1 વિધાર્થી


ધરજીયા ચંદ્રિકા રામજીભાઈ 
                                                             ધોરણ -1 વર્ષ : 2011/12


  મકવાણા  હિતેષ  ગોરધનભાઈ 
ધોરણ -1 વર્ષ : 2011/12

માંલાકીયા  આનંદી રાજુભાઈ 
                                                               ધોરણ -1 વર્ષ : 2011/12

મકવાણા કિરણ મનસુખભાઈ 
                                                              ધોરણ -1 વર્ષ : 2011/12

ભાલાળા  જયદીપ લીંબાભાઈ 
                                                            ધોરણ -1 વર્ષ : 2011/12
                                                     જોગરાજીયા કિશન ગોરધનભાઈ 
                                                            ધોરણ -1 વર્ષ : 2011/12

ધોડકીયા વર્ષા હરસુખભાઈ 
                                                            ધોરણ -1 વર્ષ : 2011/12
ભાલાળા  સાગર રાજુભાઈ 
                                                            ધોરણ -1 વર્ષ : 2011/12

જોગરાજીયા ગુલાબ ભરતભાઈ 
                                                              ધોરણ -1 વર્ષ : 2011/12

જોગરાજીયા  અનિલ  ગોરધનભાઈ 
ધોરણ -1 વર્ષ : 2011/12